Wednesday, April 17, 2024
HomeNewsMorbiમોરબી એસીબીએ એક હજારની લાંચમાં પકડાયેલા સર્કલ ઓફિસરને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે...

મોરબી એસીબીએ એક હજારની લાંચમાં પકડાયેલા સર્કલ ઓફિસરને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા

મોરબી સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર જુવાનસિંહ રતનસિંહ ખેરને ગત શનિવારનાં રોજ એસીબીએ તેની જ ઓફીસમાંથી એક અરજદારની વારસાઈ નોંધ પાડવા માટે રૂ.એક લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. જે બાદ તેનો કોરોના રિપોર્ટ અંગે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ રવિવારે રિપોર્ટ નોર્મલ આવતા એસીબીની ટીમે જુવાનસિંહ ખેરની ધરપકડ કરી હતી અને આજે સોમવારનાં રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.કોર્ટે આ આરોપી જુવાનસિંહ ખેરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને રિમાન્ડ દરમ્યાન આરોપીના ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવશે અને બેનામી મિલ્કત અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.આ અંગે વધુ તપાસ સુરેન્દ્રનગર એસીબી પી.આઈ ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!