Saturday, April 20, 2024
HomeGujaratMorbiમોરબી ભક્તિનગર સર્કલ તેમજ ટંકારા-લતીપર ચોકડી સર્વિસ રોડ તાકીદે રીપેર કરવા જીલ્લા...

મોરબી ભક્તિનગર સર્કલ તેમજ ટંકારા-લતીપર ચોકડી સર્વિસ રોડ તાકીદે રીપેર કરવા જીલ્લા ભાજપ પ્રમુખની લેખિત રજૂઆત

મોરબી ભક્તિનગર સર્કલ તેમજ ટંકારા-લતીપર ચોકડી સર્વિસ રોડ તાકીદે રીપેર કરવા જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ લેખિત રજૂઆત કરી છે જેમાં રાઘવજીભાઈ ગડારાએ એ લેખિત રજુઆત કરી. અને મોરબી R&B વિભાગના જવાબદાર અધિકારીઓને તાકીદે સુચના આપવા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર ને રજૂઆત કરાઇ છે અને મોરબી બાયપાસ નજીક આવેલા ભક્તિનગર સર્કલ ફોરટ્રેક રોડનું કામ હાલ ચાલુ હોય તેના સર્વિસ રોડ ઉપર વરસાદના કારણે મોટા ખાડા પડી ગયેલ છે જેના લીધે વાહનો ચાલી ન શકે તેવી કપરી પરિસ્થિતી ઊભી થઈ છે તેમજ ઘણા વાહનો ખાડાના કારણે ઉંધા પણ પડી ગયેલ છે. અને અકસ્માત પણ સર્જાયા છે એટલું જ નહીં જીલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા એ જણાવ્યુ હતુ કે ટંકારા-લતીપર ચોકડી ના સર્વિસ રોડ ઉપર પણ આવી જ પરિસ્થિતી છે તો ઉપરોક્ત બંને ભક્તિનગર સર્કલ તેમજ ટંકારા-લતીપર રોડ બાબત R&B વિભાગના જવાબદાર અધિકારીઓને તાકીદે સુચના આપી રોડ રીપેર કરવા સુચના આપવા અને ત્વરિત કાર્યવાહી કરવા માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!