Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી : વોટર સ્પ્લાયર્સ કારખાનામાથી રૂ. 11,200 ની ચોરી, ફરીયાદ નોંધાઈ

મોરબી : વોટર સ્પ્લાયર્સ કારખાનામાથી રૂ. 11,200 ની ચોરી, ફરીયાદ નોંધાઈ

મોરબીના લાતીપ્લોટ મુનનગર ચોકમાં આવેલ નવજીવન વોટર સ્પ્લાયર્સ કારખાનામા તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ વોટર સ્પ્લાયર્સ કારખાનામાથી રૂ.૧૧,૨૦૦ ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વોટર સ્પ્લાયર્સ કારખાનાના માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ચોરીના આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદી સંદીપભાઇ કાંતિભાઇ તરારીયા (ઉ.વ.૩૩, ધંધો.વેપાર, રહે.મોરબી, રવાપર, ધુનડા રોડ, ક્રિષ્ના સ્કુલ શુભ હિલ્સ-એ.એપાર્ટમેન્ટ, બ્લોક નં.૫૦૨, મુળ રહે.લાલપર, જામનગર રોડ, સરદારપાર્ક ઉમીયા માતાજી મંદીરના મંદીર પાસે) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ ના રોજ રાત્રીના સમયે ફરિયાદીની માલિકીના મોરબીના લાતીપ્લોટ પાછળ મુનનગર ચોકમાં આવેલ નવજીવન વોટર સ્પ્લાયર્સ કારખાનામાં અજાણ્યા શખ્સો ચોરીના ઇરાદે ઘુસ્યા હતા અને અજાણ્યા આરોપીઓએ ફરીયાદીના પાણીના કારખાનાની ઓફીસના દરવાજાનો લોક તોડી ઓફીસમા પ્રવેશ કરી ઓફીસમા ટેબલના ખાનામા રાખેલ રોકડ રૂ. ૧૧,૨૦૦ ની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!