Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેરનાં ઢુવા પાસે મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી મોરબી એલસીબી :...

વાંકાનેરનાં ઢુવા પાસે મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી મોરબી એલસીબી : ત્રણની ધરપકડ

આરોપીઓ પાસેથી રૂ. ૪.૬૩ લાખની કિંમતના ૩૩ મોબાઈલ કબ્જે કરાયા

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત થતી વિગત મુજબ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના ઢૂંવા નજીક આવેલ પટેલ પાન એન્ડ મોબાઈલ શોપમાંથી ગત તા.૧૮ ડિસેમ્બરના રોજ થયેલ ચોરીના મોબાઈલ ત્રણ શખ્સો વેચવા આવ્યા છે જે હાલ ઢૂંવા જીઆઇડીસી નજીક હોય એલસીબીની ટીમે અરવિંદ મનસુખભાઈ મગવાની (ઉ.વ.૨૨, રહે. નવાગામ તા. થાનગઢ) , રમણીકભાઈ નરશીભાઈ ઉધરેજા (ઉ.વ.૨૧, રહે. ધારાડુંગળી તા. સાયલા) અને મેહુલ ઉર્ફે મેઘો મનસુખભાઈ મગવાની (ઉ.વ.૨૩, રહે. નવાગામ તા. થાનગઢ) વાળાને રોકી થેલી તપાસતા તેમાંથી મોબાઈલ મળી આવ્યા હતા. જેથી એલસીબીની ટીમે આ ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ ત્રણેય શખ્સો પાસેથી એલસીબીની ટીમે રૂ. ૪,૬૩,૯૪૪/- ની કિંમતના ૩૩ મોબાઈલ ફોન કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એ.ડી. જાડેજા, એએસઆઈ એચ.એમ. ચાવડા, પી.એસ.ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, રસિકભાઈ ચાવડા, કૌશિકભાઈ મારવાણીયા, હેડ કોન્સ. દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, ઈશ્વરભાઈ ક્લોતરા, ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, ફૂલીબેન તરાર તથા કોન્સ. અશોકસિંહ ચુડાસમા, ભરતભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, આસિફભાઈ ચાણક્ય, ભરતભાઇ જિલરીયા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, યોગેશદાન ગઢવી, સતીષ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, નંદલાલ વરમોરા, દશરથસિંહ ચાવડા વગેરે જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!