Friday, April 19, 2024
HomeGujaratમોરબી : સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

મોરબી : સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલય રફાળેશ્વર મોરબીમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ચાલુ છે. આ છાત્રાલયમાં ધો.૧૧-૧૨, કોલેજ ક્ક્ષાના, એન્જીનિયરીંગ (ડિગ્રી-ડીપ્લોમાનાં) તેમજ ઉચ્ચ અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગોના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. સરકારએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૩૧/૦૮/૨૦૨૧ કરવામાં આવેલ હોય, વિદ્યાર્થીઓને છાત્રાલય સુવિધાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે તા.૩૧/૦૮/૨૦૨૧ સુધીમાં esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) આર.આર.શાહની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!