Sunday, May 19, 2024
HomeGujaratમોરબી:પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી:પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ નજીક રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ નજીક રહેતા સુનીતાબેન કલ્પેશભાઇ કુંઢીયા ઉવ.૨૨ એ ગઈકાલ તા.૦૮/૦૪ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી અત્રેની સિવિલ હોસ્પિટલે તેમના દિયર જીતેન્દ્રભાઈ કુંઢીયા લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરવામાં આવી આગળની તબીબી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે ઉપરોક્ત અપમૃત્યુ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાને ૨ વર્ષના લગ્નગાળા દરમિયાન એક સંતાન હોવાનું બહાર આવ્યું છે, ત્યારે સમગ્ર ઘટના મામલે મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!