Friday, April 19, 2024
HomeNewsMorbiમોરબીમાં સીરામીક ઉધોગકારો દ્વારા માલને નુકશાની થાય તો ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરો...

મોરબીમાં સીરામીક ઉધોગકારો દ્વારા માલને નુકશાની થાય તો ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરો પાસે ભાડું વસુલ કરવાનો નિર્ણય રદ નહિ કરવામાં ટ્રક ચાલકોની હડતાળ શરૂ.

મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટ એસી.ના પ્રમુખ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસી.ના પ્રમુખની અધ્યક્ષતામાં ટ્રક ટ્રાન્સપોર્ટરોની મળેલી મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે લોકડાઉન બાદ ડીઝલના ભાવ વધારા તથા સીરામીક ઉધોગકારોએ ભાડા વસૂલ કરવાના નવા નિર્ણયનો વિરોધ કરી સીરામીક એશો.ને પત્ર લખી આ નિર્ણય રદ કરવા જણાવ્યું છે

- Advertisement -
- Advertisement -

જેમાં જણાવાયું હતું કે મોરબી સહિત તમામ જગ્યાએ ભારે વરસાદથી મોટાભાગના માર્ગો તૂટી ગયા છે.જેના લીધે સીરામીક ટાઇલ્સની હેરફેર કરતા ટ્રકો માર્ગો પરના ખાડાથી સીરામીક ટાઇલ્સમાંનુકશાન થાય છે અને જો સીરામીક ટાઇલ્સમાં નુકશાન થાય તો તેનું વળતર ટ્રક ચાલકો કે માલિકો પાસેથી વસુલ કરવાની નિર્ણય સીરામીક એકમો અને વેપારીઓ દ્વારા લેવાયો છે જે નિર્ણય રદ કરવા માટે સીરામીક ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પત્ર લખીને પણ જાણ કરી હતી એમ છતાં આ ભાડા વસુલનો નિર્ણય રદ ન કરતા અંતે ટ્રક ટ્રાન્સપોર્ટ એશો.દ્વારા ટ્રકોના પૈડાં હાલ સીરામીક માં તેજી સમયેજ થાંભાડી દેવાયા હતા જો આ હડતાળ લાંબા સમય ચાલશે તો સીરામીક એકમો અને વેપારીઓની સાયકલ અને વેપાર પર અસર થશે અને જેનાથી આર્થિક પાયમાલી ભોગવવી પડે તેવી સ્થિતિ ઉભી થયા તેમ છે સાથે જ મોરબીના સીરામીક એકમોને કરોડો રૂપિયાની નુકશાની જાય તેવી સ્થિતિ સર્જાઈ છે હાલ ટ્રક એશો.દ્વારા હડતાળ પાડવામાં આવતા સીરામીક એકમો પર સંકટના વાદળો ઘેરાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!