Monday, April 29, 2024
HomeGujaratમોરબી નવરાત્રી મહોત્સવમાં હાજરી આપતા સાંસદ અને પુર્વ ધારાસભ્ય

મોરબી નવરાત્રી મહોત્સવમાં હાજરી આપતા સાંસદ અને પુર્વ ધારાસભ્ય

મોરબી સહિત સમગ્ર દેશ માં નવરાત્રિની હોંશે હોંશે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે આઠમા નોરતાની ઠેર ઠેર વિશેષ ઉજવણી થઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીમાં પણ અલગ અલગ નવરાત્રી આયોજન જેવા કે માં વિશેષ મહાઆરતી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોરબી માળીયા ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ હાજરી આપી હતી જેમાં મોરબીમાં શક્તિચોક ગરબી મહોત્સવ ,સંકલ્પ નવરાત્રી મહોત્સવ,ઉમિયા નવરાત્રી મહોત્સવ અને પાટીદાર નવરાત્રી મહોત્સવમાં મહાઆરતી ના આયોજન માં સાંસદ વિનોદભાઈ ચાવડા અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો એ હાજરી આપી ને આરતીનો લાભ લીધો હતો.

તેમજ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં મોરબી કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા ના હસ્તે શહીદોના પરિવાર જનોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં પાંચ જેટલા શહીદના પરિવારોને આર્થિક સહાય ના ચેક આપવામાં આવ્યા હતા અને નવરાત્રીના પ્રથમ નોરતાથી જ સેવા એજ સંપત્તિ ગ્રુપના અજય લોરીયા દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવમાં શહીદોના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!