ગત તા.20/12/2022 ના રોજ હળવદના નવા માલણીયાદમાં રહેતા જયંતીભાઈ જીવણભાઈ દલવાડી નામના ૫૬ વર્ષીય આધેડના આપઘાતના મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં વ્યાજખોરોના ત્રાસનાં કારણે આપઘાત કર્યાનું જણાવવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગોપાલભાઈ દલવાડીના પિતા જયંતિભાઇ દલવાડીએ લાલો બુલેટના ગેરેજ વાળો, છગન રામજી ભુવો, ઘનશ્યામભાઇ ગઢવી, ચંદ્રેશ પટેલ પટેલ, ભરતસિંહ નાડોદા, ડો. પી. પી. માલણિયાદ, અશ્વિન રબારી, ધીરૂભાઇ નાનજીભાઇ પટેલ તથા સિંહપતિ નામના આરોપીઓ પાસેથી ઉછીના લાખો રૂપીયા વ્યાજે લીધેલ હતા. તે રૂપીયા તથા વ્યાજ ચુકવવા પોતાની મિલક્તના બે ખેતરો સાત સાત વિદ્યાના તેમજ રહેણાંક મકાન તેમજ ગામમાં આવેલ વાળો તેમજ ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના વહેંચી લેણદારોને રૂપીયા આપવા છતા લેણદારો તેઓને રૂપીયા માટે વારંવાર ઉઘરાણી કરી રૂપીયા મેળવવા દબાણ કરી રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મરવા મજબુર કરતા જયંતિભાઇએ ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછથા વ્હીલમાં કુદી જઇ આપઘાત કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.