Tuesday, April 23, 2024
HomeNewsMorbiમોરબીમાં ગાંધીજયંતિ નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓએ સાફ સફાઈ કરી લોકોને સંદેશો આપ્યો

મોરબીમાં ગાંધીજયંતિ નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓએ સાફ સફાઈ કરી લોકોને સંદેશો આપ્યો

મોરબીમાં ગાંધીજયંતિ નિમિત્તે કોલેજના વિધ્યાર્થીઓએ સાફ સફાઈ કરી લોકોને સ્વરછતાનો સંદેશો આપ્યો.ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. વર્ષ ૨૦૧૪માં ગાંધીજીની જન્મ જયંતિના અવસરે નરેન્દ્ર મોદીએ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ સ્વચ્છતા અભિયાને વર્તમાનમાં વિશાળ સ્વરૂપ લઇ લીધું છે. ત્યારે આજે ગાંધી જયંતિ નિમિત્તે મોરબીના યુવાનોએ સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં કોલેજના NCCના 10-12 જેટલા વિદ્યાર્થીઓએ મળીને કોલેજના કેમ્પસને સ્વચ્છ કરી ચોખ્ખુ ચણાંક બનાવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ કચરો એકઠો કરી કચરાનો યોગ્ય નિકાલ કર્યો છે. તેમજ સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. આ તકે દેવાંગભાઈ દોશીએ યાદીમાં NCCની ટીમને અભિનંદન પાઠવ્યા છે.કોરોનાની મહામારીના લીધે સંક્રમણના ખતરાને ટાળવા માર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓ દ્વારા સાફ-સફાઈનું કાર્ય કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!