Sunday, September 8, 2024
HomeGujaratબાગાયત ખાતાની યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવા શિબિરનું આયોજન

બાગાયત ખાતાની યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવા શિબિરનું આયોજન

રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે ત્યારે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ થકી ખેડૂતો પરંપરાગત ખેતીને સ્થાને બાગાયત પાકો કરીને આવકમાં નોંધપાત્ર વધારો મેળવી રહ્યાં છે. અને સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળે તે હેતુથી બાગાયત ખાતાની યોજનાઓ અંગે માર્ગદર્શન માટે ખેડૂત તાલીમ/શિબિરનું આયોજન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી માહિતી બ્યૂરોના જણાવ્યા અનુસાર, ગત શુક્રવારે બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લાના ૨ તાલુકા દીઠ બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ટંકારા તાલુકાના હળબટીયાળી ગામે અને વાંકાનેર તાલુકામાં વાંકાનેર ખાતે ખેતીવાડી ખાતાના અધિકારીઓ, આત્માના કર્મચારીઓ દ્વારા વિવિધ બાગાયત લક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાગાયત ખાતાની નવી યોજનાઓ સહિતની માહિતી જેવી કે, મિશન મધમાખી, કોમ્પ્રી હેનસિવ હોર્ટી કલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!