Thursday, March 28, 2024
HomeGujaratઆવતી કાલથી મોરબી જીલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના લાભાર્થીઓને કોરોના...

આવતી કાલથી મોરબી જીલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના લાભાર્થીઓને કોરોના વેકસીનનાં સેન્ટરમાં અંશત: ફેરફાર

વેકસીન તદન વિના મુલ્યે આપવામાં આવશે. COWIN પોર્ટલ ઉપર ઓનલાઈન અપોઈન્ટમેન્ટ કરાવી વેકસીન લઇ શકાશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાનાં ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથ ધરાવતા લોકોને તારીખ ૦૪/૦૬/૨૦૨૧ થી જીલ્લાનાં કુલ ૧૫ સ્થળો ઉપરથી વેક્સિનેશન શરૂ કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાનાં દરેક ગામનાં ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથ ધરાવતા લોકોને પોતાના ગામથી નજીકના સ્થળોએ કોરોના વેકસીન મળી રહે તેવા હેતુસર રસીકરણનાં સ્થળોમાં અંશતઃ ફેરફાર કરેલ છે આવતીકાલ તારીખ ૧૧/૦૬/૨૦૨૧ થી જીલ્લામાં નીચે બતાવ્યાં મુજબનાં સેન્ટરો ઉપરથી વેક્સિન આપવામાં આવશે.

•મોરબી તાલુકામાં : સિવિલ હોસ્પિટલ મોરબી, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી, અર્બન હેલ્થ સેન્ટર લીલાપર (પરસોતમ ચોક), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર, પેટા આરોગ્ય કેન્દ્ર રાજપર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર બગથળા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખરેડા અને પેટા આરોગ્ય કેન્દ્ર૦ મહેન્દ્રનગર
•ટંકારા તાલુકામાં : પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નેકનામ , પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લજાઈ
•માળીયા તાલુકામાં: પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી
•વાંકાનેર તાલુકામાં : પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર મેસરિયા, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર
•હળવદ તાલુકામાં : સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર રણમલપુર

આમ મોરબી જીલ્લામાં ઉપર મુજબનાં સ્થળો ઉપર ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથના લાભાર્થીઓ ને તદન વિના મુલ્યે કોરોના વેક્સિન આપવામાં આવશે. તો મોરબી જીલ્લાના ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના લાભાર્થીઓને કોરોના રસીકરણનો લાભ લેવા મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે એમ કતીરા મોરબી જીલ્લાનાં તમામ લોકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!