Monday, May 20, 2024
HomeGujaratમોરબી કુબેર ટોકીઝ નજીક ક્રેઈન હડફેટે રાહદારીનું મોત

મોરબી કુબેર ટોકીઝ નજીક ક્રેઈન હડફેટે રાહદારીનું મોત

મોરબી-વાંકાનેર હાઇવેના સર્વિસ રોડ ઉપર ચાલીને જતા પ્રૌઢને પુરપાટ ઝડપે ચલાવીને જતા ક્રેઈન ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાને કારણે પ્રૌઢનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ બાદ ક્રેઈન ચાલક પોતાનું ક્રેઈન રસ્તા ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ આવેલ મફતિયાપરામાં રહેતા હિંમતભાઇ વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ સાવરીયા એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ક્રેઈન રજી.જીજે-૩૬-એસ-૧૯૭૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધ જાહેર કર્યું કે ગત તા.૨૫/૦૨ના રોજ હિંમતભાઇના પિતા મોરબીના સો ઓરડી વિસ્તારમાંથી પરત ઘરે ચાલીને આવતા હોય ત્યારે શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાસેથી પસાર થતા હોય ત્યારે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આવતા પીળા કલરના ક્રેઈન ચાલકે હિંમતભાઈના પિતા વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈને હડફેટે લેતા તેઓ રોડ ઉપર પડી ગયા હતા. જેમાં વિનોદભાઈને માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત સર્જી ક્રેઈન ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ ઉપરથી પલાયન થઇ ગયો હતો. સમગ્ર બનાવ મામલે મૃતકના પુત્ર હિંમતભાઈ દ્વારા મોરબી બી ડિવિઝનમાં ક્રેઈન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!