Friday, April 26, 2024
HomeGujaratઆંગણવાડી કેન્દ્રના લાભાર્થી માટે સેટકોમ કાર્યકમનું આયોજન

આંગણવાડી કેન્દ્રના લાભાર્થી માટે સેટકોમ કાર્યકમનું આયોજન

હાલ કોરોના ની વૈશ્વીક મહામારી ને ધ્યાને લઇ આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા આંગણવાડી કેન્દ્રના લાભાર્થી બાળકો, સગર્ભા ધાત્રી, તથા કિશોરીઓને ઘરે બેઠા વિવિધ વિષયો પર માર્ગદર્શન મળી રહે તે માટે ડીજીટલ માધ્યમ થી “ઉંબરે આંગણવાડી” દ્વારા સેટકોમ કાર્યકમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તા.૨૨/૦૬/૨૦૨૧ ના બપોરે ૦૨:૦૦ થી ૦૨:૩૦ દરમિયાન કિશોરીઓ માટે “હું અને મારું પોષણ” વિષય પર સેટકોમ કાર્યકમનું આયોજન કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવશે. જેમાં “વંદે ગુજરાત ચેનલ નં-૧” તથા WCDGUJARAT ફેસબુક પેજ પર નિહાળી શકાશે. જે કિશોરીઓ આ પ્રોગ્રામનું જીવંત પ્રસારણ જોવાનું ચુકી ગયેલ હોય તેઓ @WCDGUJARAT ની યુ-ટ્યુબ ચેનલ પર થી આ કાર્યક્રમ નિહાળી શકશે. આ કાર્યક્રમ માં પુછાયેલા પ્રશ્નોના જવાબ મો નં ૬૩૫૯૯૨૩૫૯૨ પર અવશ્ય મોકલવાના રહેશે.

આ સેટકોમ કાર્યક્રમ મોરબી જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની શાળાએ જતી તથા શાળાએ ના જતી તમામ SAG તથા PURNA યોજનાનો લાભ લેતી કિશોરીઓને અચૂક નિહાળવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકર આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત મોરબીની અખબારી યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!