Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું

મોરબીમાં પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું

મોરબીના આંગણે અને લખધીરવાસ ચોકમા આવેલ વાંકાનેર દરવાજાના પ્રાંગણે સર્વ જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.24 થી 30 સુધી ભાગવત સપ્તાહ યોજાશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજિક કાર્યકર પદ્યુમ્નસિંહ ખુમાનસિંહ ઝાલા(પદુભા) અને સમસ્ત ઝાલા પરિવાર દ્વારા સર્વ જ્ઞાતિના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું લખધીરવાસ ચોક,વાંકાનેર દરવાજા પાસે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.24 થી વાજતે ગાજતે કથાનો પ્રારંભ થસે અને તા. 30ના રોજ અબીલ ગુલાલની છોળો સાથે કથા સંપન્ન થશે.આ કથામાં વ્યાસાસને શાસ્ત્રી નીખિલભાઈ જોશી બિરાજી કથાનું રાશપાન કરાવશે.કથા શ્રવણ સમય બપોરે 3 થી 7 કલાકનો રહેશે. આ કથા દરમિયાન પોથીયાત્રા, ગોવર્ધન લીલા, વામન, રામ, કૃષ્ણ પ્રાગટય, રૂક્ષ્મણી વિવાહ સહિતના કાર્યક્રમો ઉજવાશે આ તકે પધારવા પદ્યુમ્નસિંહ ખુમાનસિંહ ઝાલા સહિતનાઓએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!