Sunday, April 28, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુના વધુ બે બનાવો જુદા જુદા પોલીસ મથકે નોંધાયા છે જેને પગલે પોલીસે નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના કેસની ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આવેલ રાજેશ્ર્વરી ઓઇલમીલની ઓફિસમાં જગદીશભાઇ ગંગારામભાઇ જીવાણી (ઉ.વ.૫૨ રે. લક્ષ્મીનારયણ સોસાયટી ટંકારા) કોઇ કારણસર ગળે ફાસો ખાઇ લીધો હતો. જેની લાશ લટકતી હોવાનું રમણીકભાઇ ડાયાભાઇ વાઘરીયાએ ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે દોડી જઇ મૃતદેહની કબજો સાંભળી પીએમ અર્થે ખસેડવા સહિતની તજવીજ હાથ ધરી હતી.

જ્યારે મોરબીના લુહાણાપરા શેરી નં.-૨ મા રહેતા મૂળ યુ.પી.ના પિંન્ટુકુમાર રઘુનાથસિંહ યાદવ નામના 20 વર્ષીય યુવાને ગત તા.૧૮/૦૪/૨૨ ના રોજ પોતાના પોતાના રહેણાક મકાન ખાતે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.યુવાને કોઇ-પણ કારણોસર પંખામાં મફલરબાંધી ગળે ફાસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું આ અંગે હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ પોલીસને જાણ કરાતા પોલીસે દોડી જઇ યુવાને કયા કારણસર આપઘાતનો પ્રયાસ કરી લીધો?તે દિશામાં તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!