Friday, March 29, 2024
HomeGujaratહળવદમાં એકલતાનો લાભ લઈ બાળકી સાથે ઢગાએ દુષ્કર્મ આચર્યું;જાહેરમાં સરભરા કરવા લોકમાંગ

હળવદમાં એકલતાનો લાભ લઈ બાળકી સાથે ઢગાએ દુષ્કર્મ આચર્યું;જાહેરમાં સરભરા કરવા લોકમાંગ

મોરબીમાં વધુ એક ચકચારી ભરેલી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં હળવદ ગ્રામ્ય પંથકમાં એક ઢગાએ બાળા ઉપર એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળા તેના નાના ભાઈ સાથે ઘરે એકલી હતી. ત્યારે નરાધમે આવી બાળાને ઘરથી દૂર લઈ જઈ તેને પીંખી નાખી હતી. ત્યારે દુષ્કર્મ આચરનાર ઢગાની જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ ગ્રામ્ય પંથકમાં માતા-પિતા મહેમાનને મળવા ગયા હતા અને 12 વર્ષની બાળા ઘરે તેનાં 9 વર્ષના નાના ભાઈ સાથે હતી. ત્યારે એકલતાનો લાભ લઈ ઘરે નાના ભાઈ સાથે રહેલી બાળાને નરાધમે દૂર લઈ જઈ ઢગાએ બાળાનું દેહ પીંખ્યો હતો. જયારે રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા નામનો નરાધમ દુષ્કર્મ આચરી ફરાર થયો હતો. બનાવ અંગેની જાણ થતા જ બાળાના પરિવારે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી સામે પોકસો અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધું તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ગૌસ્વામીને સોંપવામાં આવી છે. ત્યારે દુષ્કર્મ આચરનાર ઢગાની જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!