Friday, March 29, 2024
HomeGujaratટંકારા : ચોરીની શંકાએ ઢોર માર મારતા પરપ્રાંતિય યુવકનું મોત, ફરીયાદ નોંધાઈ

ટંકારા : ચોરીની શંકાએ ઢોર માર મારતા પરપ્રાંતિય યુવકનું મોત, ફરીયાદ નોંધાઈ

ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની શંકાએ અજાણ્યા શખ્સોએ યુવકને ઢોર માર મારતા તેનું મૃત્યુ થયુ હતું. હાલમાં પોલીસે અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ગૌરીદડ વિસ્તારમાં રહેતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની રામલા કાળુભાઇ કટારા નામના યુવકને એક સપ્તાહ પહેલા ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ શખ્સોએ ચોરીની શંકા રાખી ઢોર માર માર્યો હતો અને બાદમાં તેને અધમૂઈ હાલતના છોડી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને કોઈ વ્યક્તિ સીવીલ હોસ્પિટલમાં મૂકી ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ બાદ મૃતકની પત્ની ધનુબેન રામલા કટારએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની શંકા રાખી ઢોર માર મારી હત્યા કર્યાની ફરીયાદ નોધાવી હતી. આ બનાવ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઈએ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!