Saturday, April 27, 2024
HomeGujaratટંકારાના વેપારીઓએ ગરમીથી બચવા માર્ગો ઉપર મંડપ લગાવ્યા

ટંકારાના વેપારીઓએ ગરમીથી બચવા માર્ગો ઉપર મંડપ લગાવ્યા

ઉનાળાની સિઝનને પગલે ભૂકકા કાઢી નાખે તેવી ગરમી પડી રહી છે જેને લઈને પશુ પક્ષી, માનવ સહિતના મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગરમીમાંથી બચવા માટે ટંકારાના વેપારીઓએ ડેરાતંબુ તાણીને આકાશ માથી આવતા અગ્નિગોળાથી છુટકારો મેળવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના વેપારીઓએ માર્ગ ઉપર ડેરાતંબુ તાણીને આંશિક રાહત મેળવવાની તરકીબ અજમાવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાળા માથાના માનવીથી લઈને જીવ માત્ર આકુળવ્યાકુળ બની ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે ટંકારા શહેરની મેઇન બજારના વેપારીઓ દ્વારા સૂર્ય નારાયણના તેજ કિરણોથી રક્ષણ માટે રોડની ઉપર પાથરણા બાંધી થોડો છાંયડો કરી ગરમીમાંથી રાહત મેળવવાનો માર્ગ શોધી કાઢયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!