Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા યુવકનો મૃતદેહ મળી આવ્યો

મોરબીમાં આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા યુવકનો મૃતદેહ મળી આવ્યો

મોરબીના લીલાપર રોડ ઉપર સરકારી આવાસ યોજનાના ચાર માળીયા મકાન બી-૦૨માં રહેતા સંજયભાઇ રમેશભાઇ કુઢીયા ઉવ.૩૨ની ગત તા.૨૧/૦૪ રાત્રીના ૯ વાગ્યા આસપાસ મૃત હાલતમાં લાશ આવાસ યોજનાના ચાર માળીયા પાછળ આવેલ ખડીયા નાકેથી મળી આવેલ હતી. જેથી બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જે લાશ ઉપર ઇજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા ત્યારે લાશને પીએમ સહિતની તબીબી કાર્યવાહી સબબ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. હાલ પોલીસે સંજયભાઈનું મૃત્યુ કોઈ બીમારી સબબ થયું હોવાનું પ્રાથમિક તારણ મેળવી મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!