Thursday, March 28, 2024
HomeGujaratહળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે વીર શહીદ જવાનના પરિવારનું સન્માન કરાયું

હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે વીર શહીદ જવાનના પરિવારનું સન્માન કરાયું

ગણતંત્ર દિવસ નિમિત્તે મોરબી તાલુકાના હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ncc battalion 26 સુરેન્દ્રનગરના ઓફિસરો અને મહર્ષિ ગુરુકુળ ના એનસીસી કેડેટ્સ દ્વારા વીર શહીદ જવાનના પરિવારનો સન્માન કાર્યક્રમ ઉજવાયો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બાવડી ગામના અને વર્ષ 1998 માં કાશ્મીરમાં શહીદ થયેલા સ્વ.વીર શહીદ દયાળજીભાઈ મહાદેવભાઇ ચંદ્રાલા ના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીર શહીદોના પરિવાર માટે મોમેન્ટો બનાવીને મોકલાવેલ હતો તે મોમેન્ટો આજના દિવસે વીર શહીદ દયાળજીભાઈ મહાદેવભાઈ ચંદ્રાલા ના પરિવારને એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે મહર્ષિ ગુરુકુળ ના એમડી રજનીભાઈ સંઘાણી રાજુભાઈ ચણીયારા તથા એનસીસી સુબેદાર મેજર સિંગ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!