Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં રસોઇ કરતી વેળાએ દાઝી ગયેલ પરિણીતાનું સારવાર દરમિયાન મોત

મોરબીમાં રસોઇ કરતી વેળાએ દાઝી ગયેલ પરિણીતાનું સારવાર દરમિયાન મોત

મોરબીના ધૂતારી વાડી વિસ્તારમા રહેતા 35 વર્ષીય પરિણીતા છ દિવસ અગાઉ ઘરે ચુલા પર રસોઇ કરતી વેળાએ દાઝી ગયા હતા આથી તેઓને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકથી ૬ કિ.મી દુર નવલખી રોડ પર આવેલ ધુતારી વાડી વીસ્તારમા રહેતા દયાબેન પ્રવિણભાઇ પીલુકીયા (ઉ.વ.૩૫) ગત તા-૧૬ના રોજ વહેલી સવારે પોતાના ઘરે ચુલા પર રસોઇ કરતા હતા આ દરમિયાન આગની જાળ કપડામા લાગી જતા શરીરે દાઝી ગયા હતા જે અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જેનું તા. 20ના રોજ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!