Monday, May 20, 2024
HomeGujaratવાંકાનેરમાં ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ:પ્રેમીકાએ એક પ્રેમી સાથે મળી બીજા પ્રેમીની...

વાંકાનેરમાં ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ:પ્રેમીકાએ એક પ્રેમી સાથે મળી બીજા પ્રેમીની હત્યા નિપજાવી

વાંકાનેરમાં ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં પ્રેમીનો ભોગ લેવાયાની ઘટના સામે આવી છે. જેમાં મૃતક ને એક એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોય અને આરોપી મહિલા અન્ય આરોપી પ્રેમી સાથે પ્રેમ હોય જેમાં પ્રેમીકાએ તેના પ્રેમિ સાથે મળી એક પ્રેમીનું ઢીમ ઢાળી દેતા સમગ્ર મામલે મૃતકના ભાઈ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં જાલીગામ ખાતે રહેતા પાચાભાઇ રૂપાભાઇ રંગપરાને તેના જ ગામમાં રહેતી અરૂણાબેન મનુભાઇ ગોરીયા નામની મહિલા સાથે સાથે પ્રેમસબંધ હોય અને ધનજીભાઇ કાનાભાઇ માલકીયાને પણ અરૂણાબેન સાથે પ્રેમ સબંધ હોય જેથી આરોપી ધનજીભાઇ અને આરોપી અરૂણાબેનના પ્રેમસબંધમા મૃતક પાચાભાઈ આડખીલી રૂપ હોય જેથી બંનેએ ભેગા મળી અગાઉથી પ્લાન બનાવી અરૂણાબેને પાચાભાઇ રૂપાભાઇ રંગપરાને ગત તા.૨૪/૧૦/૨૦૨૩ ના રોજ બપોરના સમયે ભુપત ઉકાભાઇની વાડીએ બોલાવી બન્ને આરોપીઓએ મળી પાચાભાઈ ને ગળે ટુંપો આપી મોત નિપજાવતા સમગ્ર મામલે મૃતકના ભાઈ ચોથાભાઇ રૂપાભાઇ રંગપરા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!