Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં ટ્રક યમદૂત બન્યો ! : ટ્રકે છકડો રીક્ષાને ઠોકર મારતા કિશોરનું...

મોરબીમાં ટ્રક યમદૂત બન્યો ! : ટ્રકે છકડો રીક્ષાને ઠોકર મારતા કિશોરનું મોત

મહેન્દ્રનગર ચોકડી થી માળીયા ફાટક તરફ જતા રોડ પર હાઇવેની ગતિએ દોડતાં ભારે વાહનો કેટલાંક માટે યમદૂત જેવા સાબિત થઈ રહ્યાં છે. મોરબી શહેરની સમર્પણ હોસ્પીટલની સામે ટ્રકે કરેલાં એક અકસ્માતમાં કિશોરનું જીવન છીનવાયુ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ઘુંટુ ગામે આવેલ નાગબાઈમા મંદીર પાસે રહેતા રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા તેના કુટુંબી ભાઇ રૂખડ (ઉ.વ ૧૩) સાથે ગત તા-૨૭/૦૩/૨૦૨૩ ના રોજ મહેન્દ્રનગર ચોકડી થી માળીયા ફાટક તરફ જતા રોડ ઉપરથી જી.જે.૦૩ બી.એક્સ.૬૦૨૯ નંબરની છકડો રીક્ષામાં પાછળ બેસી પસાર થઇ રહ્યો હતો. ત્યારે સમર્પણ હોસ્પીટલની સામે એક જી.જે.૧૦ એક્સ ૯૬૯૮ નંબરના ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે અને બેદરકારી પુર્વક હંકારી જમણી બાજુએ ટકકર મારી છકડો રીક્ષાને રોડ ઉપર આડી પાડી દેતા છકડો રીક્ષામાં બેસેલ ૧૩ વર્ષીય કિશોર રૂખડનું ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ફરિયાદીને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!