Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે પ્રવીણ નામના વ્યક્તિ સાથે સંબંધ ન રાખવાનું કહી બે...

મોરબીના ઘુંટુ ગામે પ્રવીણ નામના વ્યક્તિ સાથે સંબંધ ન રાખવાનું કહી બે મિત્રોને ત્રણ ઈસમોએ ઢોર માર માર્યો

મોરબી તાલુકાના ઘુટુ ગામ ખાતે આવેલ દાળમા દાદાના મંદિર પાછળ ત્રણ ઈસમોએ બે મિત્રોને બોલાવી પ્રવિણ સાથે સંબંધ ન રાખવાનું કહી બેફામ ગાળો આપી લાકડીઓ વડે બંનેને ત્રણ ઈસમોએ આડેધડ માર મારતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં ઘુટુ ગામ ખાતે રહેતા સુનીલભાઇ જયંતિભાઇ જોગડીયા તથા તેના મિત્ર નરેશભાઇને રવિભાઇ પરષોતમભાઇ માનેવાડીયા, રવીભાઇ અશોકભાઇ વરાણીયા તથા રાહુલભાઇ રાજુભાઇ દુદકીયા (રહે- બધા ત્રાજપર) નામના શખ્સોએ બોલાવી બંનેના મિત્ર પ્રવિણની સાથે મિત્રતા ન રાખવા જણાવીને બેફામ ગાળો આપીને આરોપીઓએ હાથમા લાકડીઓ વડે બંનેને આડેધડ માર મારતા ફરિયાદી તથા નરેશભાઈ ગંભીર રીતે ઘવાતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!