Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ : હળવદમાં આધેડે એસિડ પી લેતા મોત...

મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ : હળવદમાં આધેડે એસિડ પી લેતા મોત , વાંકાનેરના રાતીદેવળી ગામે યુવકનો ગળો ફાંસો

હળવદમાં આધેડે એસિડ પી લેતા મોત   

- Advertisement -
- Advertisement -

સુરેન્દ્રનગરના આધેડે લગ્ન ના થતા જિંદગીથી કંટાળી હળવદમાં એસિડ પી લીધું હતું. આથી, તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગત તા. 17ના રોજ હળવદની સરા ચોકડી પાસે છનાભાઈ મોતીભાઈ વાઘેલા (ઉ.વ. 50, રહે. સર્વોદય સોસાયટી, ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)એ એસિડ ગટગટાવી લીધું હતું. આથી, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. છનાભાઈ લગ્ન થયેલ ના હોવાથી માનસિક ટેન્શનમાં રહેતા હતા. અને તેમણે જીંદગીથી કંટાળીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

વાંકાનેરમાં રાતીદેવળી ગામમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. રાતીદેવળી ગામમાં રહેતા 20 વર્ષીય વસંતભાઇ રમણીકભાઇ વોરાએ ગઈકાલે તા. 23ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!