Sunday, May 19, 2024
HomeGujaratહળવદના જુની જોગડ ગામેં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે ધીંગાણું, બે વ્યક્તિના...

હળવદના જુની જોગડ ગામેં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે ધીંગાણું, બે વ્યક્તિના મોત

હળવદ તાલુકાના જૂની જોગડ ગામેં ભેંસો ચરાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા એક જ જ્ઞાતિના બન્ને પક્ષે એક – એક વ્યક્તિના મોત નિપજ્યાં છે. ડબલ મર્ડરની ઘટનાની જાણ થતા એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના જૂની જોગડ ગામે આજે સાંજના સમયે ભેંસો ચરાવવા બાબતે એ પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અને જોત જોતામાં બન્ને પક્ષના લોકો સામસામે આવી જતા આ ઘટનામાં રઘુભાઈ બચુભાઈ કોળી તથા નવઘણભાઈ શેંધાભાઈ કોળી નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ડબલ મર્ડરની ઘટનાને પગલે મોરબી એસપી, ડિવાયએપી સહિત એલસીબી,અને હળવદ પોલીસના પીએસઆઇ પી.જી પનારા,યોગેશદાન ગઢવી, જયપાલસિંહ ઝાલા,દેવેન્દ્રસિંહ ઝાલા મુમાભાઈ રબારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે

હાલ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઇ બંને મૃતદેહને પી.એમ. અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!