Friday, March 29, 2024
HomeGujaratમોરબી જિલ્લામા બે વ્યક્તિઓના અકાળે મોત નિપજ્યા

મોરબી જિલ્લામા બે વ્યક્તિઓના અકાળે મોત નિપજ્યા

મોરબી જિલ્લામાં અપમૃત્યુની બે ઘટના પ્રકાશમાં આવી છે જેમાં બે લોકોના અકાળે મોત નિપજતા જુદા-જુદા પોલીસ મથકમાં આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સિલ્વરપાર્ક સોસાયટીમાં રહેતા જીગ્નેશ નિલેશ કુકવાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ અને જીવન ટુંકાવ્યું હતું. જેને જન પરિવાર જનોએ થતાં પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મોરબી સીટી.બી.ડિવીઝન પોલીસે અકાળે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના રાણેકપર રોડ પર આવેલ સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા રવિ વિજય ઉપાધ્યાયએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી. જેની જાણ પરિવારજનોને થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હળવદ પોલીસ દફતરે અકાળે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!