Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અકસ્માતે દાઝી જતા અને કૂવામાં પડી જતા બે યુવાનના મોત

મોરબી જિલ્લામાં અકસ્માતે દાઝી જતા અને કૂવામાં પડી જતા બે યુવાનના મોત

મોરબી જિલ્લામાં છેલા ચોવીસ કલાકમાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં દાજી ગયા બાદ યુવાનનું મોત અને કૂવામાં પડી જતા યુવાનનું મોત થયું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થવા પામ્યું છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના કેસની જાણવા મળતી વિગત અનુસાર માળીયા મિયાણાં તાલુકાના સરવડ ગામે આવેલ સાવની જેલ ઇન્ડસ્ટ્રીઝમાં ગત તા.૦૩/૦૨ના રોજ ધીરજભાઇ ઝવેરભાઇ વસીયાણી નામના ૪૨ વર્ષીય યુવાન ટેમ્પરેચરનો વાલ્વ ખોલવા જતા ઉપર રોલ ગરમ પાણીના તાવડામાંથી અચાનક ગરમ પાણી ધીરજભાઈન માથે પડ્યુ હતું. જે ઘટનાને પગલે તેઓ આખા શરીરે દાઝી ગયા હતા આ અંગે જાણ થતાસ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર કારગત ન નિવડતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે અમોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.

અપમૃત્યુના વધુ એક કેસની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના શનાળા ગામે જેનીસ રીક્લેમેસન ટાયર કંપનીનાં લેબર કર્વાટરમાં રહેતા જીતેન્દ્ર કુમાર કપીલસિંહ ચંદ્રવંશી (ઉ.વ.૨૫) ના રોજ ગત તા.૧૬/૦૨/૨૨ ટાયર કંપનીના કારખાના લેબર કર્વાટર પાસે આવેલ કુવામા પડી જતા તેનુ મોત નીપજ્યું હતું જે અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!