Friday, April 26, 2024
HomeGujaratહળવદમાં આવતીકાલે નકલંક ગુરુધામ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ઉપસ્થિતમાં વિવિધ કાર્યક્રમો...

હળવદમાં આવતીકાલે નકલંક ગુરુધામ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ઉપસ્થિતમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

હળવદના શક્તિનગર ગામે આવેલ શ્રી નકલંક ગુરુ ધામ ખાતે આજે ૧લી.જાન્યુઆરીના રોજ સમસ્ત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સ્નેહ મિલન તથા નકલંક ધામ મંદિરે નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

- Advertisement -
- Advertisement -

પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા હળવદના શક્તિનગર ગામે આવેલ નકલંક ગુરુધામ ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું તેમજ નકલંક ધામ ખાતે તૈયાર થયેલ અતિ આધુનિક શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, રાજ્યના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા,પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા,સાંસદ વિનોદ ચાવડા, મોહનભાઈ કુંડારીયા, સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા પ્રજાપતિ સમાજના આગેવાન અને હાલ રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપતા દિનેશભાઈ અનાવાડિયાને વિશેષ સન્માનિત કરવામાં આવશે.

પહેલી જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ગુજરાત ભરમાંથી ઉમટી પડશે. તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેશે તેવું આયોજકો દલસુખરામ બાપુએ જણાવ્યું હતું. વધુમાં કાર્યક્રમને સફળ બનાવવા નકલંક ગુરુ ધામના મહંત દલસુખ બાપુ, મુખી મહારાજ, વાઘજીભાઈ, રમેશભાઈ, અલકાબેન સહીત પ્રજાપતિ સમાજના આગેવાનો અને સ્થાનિક ભાજપના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!