મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં પાલિકાની કામગીરી યોગ્ય રીતે કરવા બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતાં પરંતુ કમિશનર રૂબરૂ ન મળતાં રોષ વ્યક્ત કરી આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ પત્રકાર પરિષદ સંબોધશે તેમ જણાવ્યું હતું…
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં પાલિકાની કામગીરી યોગ્ય રીતે કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. કારણ કે મોરબી મહાનગરપાલિકા દ્વારા યદુનંદન ગૌશાળાનું બાંધકામ વોકળા પર કરવામાં આવ્યું છે જે પાણીને નડતર રૂપ છે તેમ કહી ડીમોલેશન કરવામાં આવ્યું છે. જ્યારે ગૌશાળા ની લાઈનમાં આવેલ મકાન ગેરકાયદેસર નથી તેવા સવાલ સાથે યોગ્ય કામગીરી કરવા અજુઆત કરી છે. કાલિકા પ્લોટ વિસ્તાર રવાપર રોડમાં પાણીને અવરોધ રૂપ બને તેમ ગેરકાયદેસર દબાણ થયાની ફરિયાદ કરાવી છે. તેમજ ઐતિહાસિક ધરોહર મણીમંદિરની બાજુમાં દબાણ થયું છે જેનો કેસ ચાલુ છે, મહાનગર પાલિકાનો પવડીનો ડેલો ગેર કાયદેસર દબાણ છે, તેમજ ડિમોલેશન વખતે હરતાં ફરતાં પશુઓના અવેળા તોડી પાડવામાં આવ્યાં છે. તેમજ ગેર કાયદેસર માસમટન વેચાણને લઇને પણ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. પરંતુ કમિશનરે મળવાની ના કહી વાળા સાહેબને મળી લિયો તેમ કહેતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કમિશનરને મળવામાં શું વાંધો હોય શકે તેવા સવાલ સાથે અધિકારીઓએ મળી લોકોને સંભાળવા જોઈએ તેમ ન કરતા રોષ સાથે આગામી સમયમાં પત્રકાર પરિષદ પણ સંબોધવામાં આવશે તેમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે.