Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર : સરતાનપર રોડ પર આવેલ સિરામિક ફેક્ટરીમાં ચોરીની શંકાએ પાંચ શખ્સોએ...

વાંકાનેર : સરતાનપર રોડ પર આવેલ સિરામિક ફેક્ટરીમાં ચોરીની શંકાએ પાંચ શખ્સોએ માર મારતા અજાણ્યા પુરુષનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સીમ ફલાય સિરામિકના લેબર કવાર્ટરમાં અજાણ્યો પુરુષ (ઉ.૨૫ થી ૩૫ આશરે)એ ગઈકાલે તા.૯ ના રાત્રીના ૨ થી ૩ વાગ્યાના અરસામાં આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઈ અલીખાનની પત્ની બાનુબેન તથા તેમની દીકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનું ગોદડું ખેચતા માતા-પુત્રી જાગી ગયા હતા અને બંનેએ દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ હોવાનું લાગતા આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઈ અલીખાન, કપિલકુમાર વીરપાલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ, મહેન્દ્રસિંહ ઘરનાસિંહ અને અસલમ જાબુદીન મલીક રહે તમામ ઉતરપ્રદેશ વાળાઓએ અજાણ્યા પુરુષને પકડી લાકડી વડે માર મારી માથું પકડી પછાડી ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં રજનીશભાઈ હસમુખભાઈ કોઠીયાએ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!