Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર : કોવિડ સેન્ટરમાં સારવાર લેવા બાબતે ના પાડતા ત્રણ શખ્સોએ ભાજપ...

વાંકાનેર : કોવિડ સેન્ટરમાં સારવાર લેવા બાબતે ના પાડતા ત્રણ શખ્સોએ ભાજપ અગ્રણીને માર મારી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા ભાજપ અગ્રણી હિરેનભાઈ રમેશભાઈ પારેખે ફરિયાદ નોંધાવી છે કે આરોપી નરેન્દ્રસિંહ ઝાલાના જમાઈની થોડા દિવસ પૂર્વે તબિયત ખરાબ હોય અને કોવીડ કેર યુનિટમાં સારવાર લેવા બાબતે હિરેનભાઈ પારેખે ના પાડતા તે બાબતનો ખાર રાખીને આરોપી ઋષિ ઝાલા (રહે વાંકાનેર આરોગ્યનગર), નરેન્દ્રસિંહ ઉર્ફે નારૂભા ઝાલા (રહે ખેરવા) અને બળુભા જોરૂભા ઝાલા (રહે વાંકાનેર પેડક) એમ ત્રણ શખ્સોએ કોવિડ કેર સેન્ટર સામે ગ્રાઉન્ડમાં આવી ફરિયાદી હિરેનભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી પછાડી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!