Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર  ગૌચરની જમીનમાં ખોદકામ મામલે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ...

વાંકાનેર  ગૌચરની જમીનમાં ખોદકામ મામલે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરીયાદ નોંધાઇ

વાંકાનેરના જાલીડા ગામે ગૌચરની જમીનમાં હિટાચી મશીનથી ખોદકામ કરવા મામલે યુવાનને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાદુરભાઇ મેરાભાઇ લોહ (ઉ.વ.૩૭, ધંધો માલઢોર, રહે જાલીડા તા.વાંકાનેર) એ આરોપી હરીભાઇ પોપટભાઇ (રહે હોલમઢ, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૨ ના રોજ સાંજના નવેક વાગ્યાના અરસામા જાલીડા ગામે હડીયો સીમમાં બનેલા આ બનાવમાં ફરીયાદિ જાલીડા ગામે રહેતા હોય અને જાલીડા ગામની હડીયો સીમમાં ગૈાચરની જમીનમાં આરોપીનુ હીટાચી મશીનથી ખોદકામ ચાલતુ હોય. જેથી, ફરીયાદી તેને ના પાડેલ જેથી આરોપીને સારૂ નહી લાગતા, તે એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવ મામલે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!