Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેર : અપહરણના ગુન્હામાં ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી...

વાંકાનેર : અપહરણના ગુન્હામાં ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ

રાજ્યમાં નાસતા ફરતા આરોપી ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરાયું હોય જે અંતર્ગત જીલ્લા એસપી એસ.આર.ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન વાંકાનેર તાલુકામાં અપહરણના ગુન્હામાં આરોપી મહેરબાનસિંહ પીરૂલાલ મામોલીયા (ઉ.વ.૨૯) રહે કોટડાસાંગાણી જી રાજકોટ મૂળ એમપી વાળાને બાતમીને આધારે કોટડાસાંગાણી નજીકના લોઠડા ગામ પાસેની રેનો સ્લાઈડ કારખાનામાંથી ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસને સોંપેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, પેરોલ ફર્લો સ્કવોડના રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઈ મારવણીયા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, હીરાભાઈ ચાવડા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!