Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં કરિયાવર બાબતે અને ત્રાસ આપી સુરત સ્થિત સાસરિયાઓએ કાઢી મુકતા મહિલાએ...

મોરબીમાં કરિયાવર બાબતે અને ત્રાસ આપી સુરત સ્થિત સાસરિયાઓએ કાઢી મુકતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વૃંદાવન પાર્ક શિવધારા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 101માં રહેતી પાયલબેન નરેન્દ્રભાઇ જોષીએ સુરત સ્થિત સાસરિયાઓ વિરુદ્ધ દહેજ બાબતે તેમજ ચારિત્ર્ય અંગે શંકા કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. લગ્નના એક વર્ષ બાદ પતિ નરેન્દ્રભાઈ દશરથલાલ જોષીએ તેના પિતા દશરથલાલ જોષી તથા માતા મુક્તાબેનની ચઢામણીથી જેઠ સહિતનાંઓએ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ દીકરાનો જન્મ થતા આ બાળક અમારું નથી એમ કહી ચારિત્ર્ય પર શંકા કરી હતી જેથી મહિલાએ ઉપરોક્ત તમામ આરોપીઓ પતિ, સાસુ-સસરા, જેઠ વિરુદ્ધ પાયલબેને મોરબી મહિલા પોલીસ સ્ટેશન બી.ડીવી.માં ફરિયાદ નોંધાવતા આઈપીસી કલમ 498 (ક), 323, 504, 114 મુજબ પોલીસ ઇન્સ. ડી.વી.ડાંગરે ગુન્હો રજીસ્ટર કરી ચારેય આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!