Saturday, July 27, 2024
HomeGujaratપતિએ "હવે મારે તને જોતી નથી તુ મરી જા" કહેતા મહિલાનો આપઘાતનો...

પતિએ “હવે મારે તને જોતી નથી તુ મરી જા” કહેતા મહિલાનો આપઘાતનો પ્રયાસ : સારવારમાં ખસેડાઈ

લગ્ન બાદ સાસરીયા દ્વારા પરિણીતા પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ક્યારેક કરિયાવરની લાલચમાં સાસરીયાઓ દ્વારા પરિણીતાને માર મારવામાં આવ્યો હોય અથવા તો પરિણીતાને સંતાન પ્રાપ્તિ ન થતા માનસિક ત્રાસ આપવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવતા છે. જેને કારણે મહિલા ન ભરવાનું પગલું ભારી લેતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના ધ્રાંગધ્રાના જુના ઘનશ્યામગઢ ખાતેથી સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હાલ મોરબીના જેતપરમાં પોતાના પિયરમાં રહેતી હેતલબેન રાજુભાઇ પરસાડીયાને તેના પતિ – રતાભાઇ બુટાભાઇ ગમારા, સસરા – બુટાભાઇ શીવાભાઇ ગમારા, સાસુ – અનુબેન બુટાભાઇ ગમારા, જેઠ – રવજીભાઇ બુટાભાઇ ગમારા, જેઠાણી – જયોતીબેન રવજીભાઇ ગમારા તથા કાકીજી સાસુ – ભાનુબેન મોતીભાઇ ગમારા કે જેઓ ધ્રાંગધ્રાના જુના ધનશ્યામગઢ ખાતે રહે છે. તેઓ દ્વારા અવાર નવાર નાની નાની બાબતોમા તથા સંતાન નહી થતા તુ વાંજણી છો તેમ કહી મેણાટોણા બોલી ગાળો આપી પતી રતાભાઇ બુટાભાઇ ગમારાને ખોટી ચડામણી કરતા પતી દ્વારા “હવે મારે તને જોતી નથી તુ મરી જા” તેમ કહેતા પોતે ઝેરી દવા પી જતા સામાન્ય અસર થતા તેમજ સાસરિયાઓ દ્વારા અવાર નવાર શારીરીક અને માનસીક દુખત્રાસ આપતા સમગ્ર મામલે મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!