Friday, March 29, 2024
HomeGujaratમોરબીના લાલપર ગામ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ : ફરિયાદ નોંધાઈ

મોરબીના લાલપર ગામ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ : ફરિયાદ નોંધાઈ

મોરબીના લાલપર ગામ પાસે આવેલ વીજ સબ સ્ટેશન પાછળના ભાગમાં બાઈકમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવાનને છરી બતાવવા તે નાસી ગયો હતો જેકે ત્યારે અન્ય યુવાન ત્યાં આવતા નાસી છુટેલ યુવાનની મદદે આવ્યો હોવાનું સમજીને ત્રણ ઇસમોએ યુવાનને છાતીનાં ભાગે છરીના ઘા ઝીંકી દેતા આદીવાસી યુવાનનું મોત થયું છે જે બનાવ મામલે હાલ મોરબી તાલુકા પોલીસે મૃતક યુવાનની પત્નીની ફરીયાદનાં આધારે અજાણ્યા ત્રણ ઈસમો સામે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર પાસે વીજ સબ સ્ટેશન પાછળના ભાગમાં આવેલ લેટીના સિરામિકમાં મજુરીકામ કરતા લીલાબેન ઉર્ફે લલીતાબેન વરસિંગભાઈ વહનીયા (ઉ.વ.૪૨) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિની ગઈકાલે ત્રણ અજાણ્યા ઇસમોએ હત્યા કરી હતી જે ફરિયાદમાં જણાવ્યું છે કે લેટીના સિરામિક પાસેથી સાંજના સમયે સુનીલભાઈ ભજીયાવાળા પોતાનું કામ પૂરું કરીને રૂમ તરફ જઈ રહ્યા હતાં ત્યારે બાઈક પર આવેલ અજાણ્યા ત્રણ ઇસમોએ તેનો કાઠલો પકડીને છરી બતાવી હતી ત્યારે સુનીલભાઈ નાસી છૂટયા હતા તે દરમ્યાન ફરિયાદી લીલાબેનના પતિ વરસિંગભાઈ ત્યાંથી પસાર થતા હતા જેથી ત્રણ અજાણ્યા ઈસમો નાસી ગયેલા યુવાનને છોડાવવા આ યુવાન આવ્યો હોય તેવું સમજી છરીનો જીવલેણ ઘા છાતીમાં ઝીંકી દીધો હોય જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો સામે હત્યા સહિતની કલમ સાથે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!