Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીના સુભાષનગરમાંથી યુવક ઘરે કોઈને કહ્યા વગર લાપતા: પોલીસે તપાસ શરૂ કરી

મોરબીના સુભાષનગરમાંથી યુવક ઘરે કોઈને કહ્યા વગર લાપતા: પોલીસે તપાસ શરૂ કરી

મોરબી સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે આવેલ સુભાષનગરમાં રહેતા યુવક ગત તા.03/02ના રોજ આર્થિક સંકળામણને લઇ અઢી ઘરે કોઈને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હોય ત્યારે પરિવારજનો દ્વારા અંતે પોલીસ ને જાણ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વધુમાં લાપતા થયેલ દિલીપભાઈ ઉર્ફે અનિલભાઈને તેની પત્ની દિવ્યાબેન સાથે મનદુખ ચાલતુ હોય જેથી તેની પત્ની રીસામણે હોય અને તેને કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કરેલ હતો. જેમાં આશરે એકાદ લાખ રૂપિયા જેટલી રકમ ચુકવવાની ચડત થઇ ગયેલ હોય જયારે ગુમ થનારના પિતાજીને પેરાલીસીસનો હુમલો આવી ગયેલ હોય અને દવાખાનાનો ખર્ચ ચાલુ હોય અને જયારે ઘરની આર્થીક પરિસ્થિતિ સારી ન હોય જેથી આ બધા રૂપિયાની વ્યવસ્થા પણ થતી ન હોય જેથી આર્થિક સંકળામણ અનુભવતા દિલીપભાઈ ઉર્ફે અનિલભાઈ ગુમસુમ રહેતા હોય જેને લઇ ગત તા.૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના બપોરના અરસામાં અરસામાં પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ હોય. દિલીપભાઈ ઉર્ફે અનિલભાઈ શરીરે પાતળા બાંધાના, રંગે ગૌર વર્ણના તથા જેની ઉચાઇ આશરે ૫’૫” જેટલી છે. હાલ બી ડિવિઝન પોલીસે ગુમસુધા નોંધ કરી અલગ અલગ દિશામાં શોધખોળની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!