Saturday, April 27, 2024
HomeGujarat17 મીએ સીએમ-સીઆર મોરબીમાં: રામબાઈમાંની જગ્યામાં આયોજિત પાટોત્સવમાં આપશે હાજરી

17 મીએ સીએમ-સીઆર મોરબીમાં: રામબાઈમાંની જગ્યામાં આયોજિત પાટોત્સવમાં આપશે હાજરી

મોરબી જિલ્લાના માળીયા(મી)તાલુકાના પ્રસિદ્ધ વવાણિયા ગામ ખાતે રામબાઈમાંની જગ્યામાં તા.17 મેને મંગળવારના રોજ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પાટોત્સવની સાથે સાથે નવ નિર્મિત ભોજનાલય, સભાખંડ અને ગૌશાળાનું ઉદઘાટન સમારોહ પણ યોજવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી.)ના વવાણિયા ગામ ખાતે રામબાઈમાંની જગ્યામાં યોજાનાર પાટોત્સવમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ હાજરી આપશે. આહીર સમાજના અગ્રણી એવા ઉગાભાઇ રાઠોડ અને જેઠાભાઇ મયાત્રા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ ગાંધીનગર મુખ્યમંત્રીને આમંત્રણ આપવા માટે ગયા હતા. જે આમંત્રણને સ્વીકારી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ હાજરી આપશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!