Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં આપઘાત કરવા જીદે ચડેલી તરૂણીને નવજીવન આપતી ૧૮૧ અભયમ ટીમ

મોરબીમાં આપઘાત કરવા જીદે ચડેલી તરૂણીને નવજીવન આપતી ૧૮૧ અભયમ ટીમ

પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પૂર્વે ટીમ અભયમને એક ગભરાયેલા માતાનો ફોન આવ્યો હતો કે મારી દીકરી સતત આપઘાત કરવાના વિચારો કરી રહી છે. જેથી કાઉન્સિલર પલ્લવીબેન વાઘેલા અને કોન્સ્ટેબલ વિલાસબેન સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમ્યાન ટીમ અભયમ સમક્ષ કાઉન્સિલિંગ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવે હતી અને આ તરૂણી એક તરૂણના પ્રેમમાં હોવાનું તેણીએ જણાવ્યું હતું, ઉપરાંત તરૂણી ઘર છોડીને જતી રહેતા માતાએ પીછો કરી તરૂણીને મહામહેનતે ઘરે પરત લાવ્યાનુ પણ કાઉન્સિલિંગમાં બહાર આવ્યું હતું. બાદમાં તરૂણીની માનસિક સ્થિતિ સ્વસ્થ કરી અભયમના કાઉન્સિલર સ્ટાફે આ ઉંમર પ્રેમ કરવાની નહિ સારો અભ્યાસ કરી કેરિયર બનાવવાની હોવાનું જણાવી તરૂણીના મનમાંથી પ્રેમનું ભૂત ઉતારતા તરૂણી પણ સાચી સ્થિતિ સ્વીકારી મનમાંથી આપઘાતનો વિચાર કાઢ્યો હતો. નોંધનીય છે કે તરૂણીને પિતાની છત્રછાયા પણ નથી અને ભાઈનો સહારો પણ નથી ઉપરાંત ચાર બહેનો હોય માતા ઉપર આવી પડેલી આ ઉપાધિ ટીમ અભયમે દૂર કરી તરૂણીને નવજીવન આપ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!