Thursday, March 28, 2024
HomeGujarat29 એપ્રિલ થી વાંકાનેર-મોરબી વચ્ચે દોડશે 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન

29 એપ્રિલ થી વાંકાનેર-મોરબી વચ્ચે દોડશે 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન

મુસાફરોની સુવિધાને ધ્યાને લઇ પશ્ચિમ રેલવે દ્વારા 29 એપ્રિલ, 2022 થી આગળની સૂચના ન મળે ત્યાં સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશિયલ (દૈનિક)ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ 20.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.05 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે.અને ટ્રેન નંબર 09561 વાંકાનેર-મોરબી ડેમુ સ્પેશિયલ (દૈનિક) વાંકાનેર-મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ 22.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન મકનસર, રફાળેશ્વર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટ્રેનના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!