હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી છે.
હળવદ પોલીસમાં નોંધાયેલી અ.મોતની પ્રાપ્ત વિગત મુજબ, હળવદ ટાઉનમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા ગુલશનકુમાર સુભાષચંદ્ર પંજાબી ઉવ.૨૫એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે તેમના ભાઈ દિપકકુમાર પંજાબીએ હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






