Saturday, April 27, 2024
HomeGujaratહળવદના નવા ધનાળામા 5 આખલાઓના ઝેરી અસરથી મોત થયાની આશંકા

હળવદના નવા ધનાળામા 5 આખલાઓના ઝેરી અસરથી મોત થયાની આશંકા

હળવદના નવા ધનાળા ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાંચ જેટલા આખલાઓને ઝેરી પદાર્થ ખવડાવી મોત નિપજાવ્યાની આશંકાઓ વચ્ચે જીવદયા પ્રેમીઓમા રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી પગલાં લેવા માંગ કરી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાં અવારનવાર પશુઓ પર તિક્ષ્ણ હથિયારથી ઘા કરવા કે એસિડ હુમલા કરવાના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક હળવદના નવા ધનાળા (કૃષ્ણ નગર)માં પાંચ જેટલા આખલાઓને ઝેરી પદાર્થ ખવડાવી હત્યા નિપજાવી હોવાની આશંકાઓ જીવદયા પ્રેમીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તો સાથે અવારનવાર બનતા પશુઓ પર થતાં હુમલાઓ નિંદનીય ઘટનાઓ વિશે તંત્ર જાગી અને ઝેરી પદાર્થ ખવડાવીને અબોલ પશુઓને મોત નિપજાવનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!