Friday, October 25, 2024
HomeGujaratમોરબી વડવાળા યુવા સંગઠનના નવા હોદેદારોની વરણી કરવામાં આવી : મુખ્ય સંયોજન...

મોરબી વડવાળા યુવા સંગઠનના નવા હોદેદારોની વરણી કરવામાં આવી : મુખ્ય સંયોજન તરીકે દેવેન રબારીની નિમણૂંક

તાજેતરમાં અષાઢી બીજનાં પાવન અવસરે મોરબીનાં અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે મોરબી સમસ્ત મચ્છુકાંઠાના રબારી સમાજના યુવાનોના ઉત્થાન માટે સક્રિય એવા વડવાળા યુવા સંગઠનની કારોબારી બેઠક મળી હતી. આ કારોબારીમાં ૭૧ સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સાથે જ દેવેનભાઈ રબારીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજમાં શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો અને આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન કરવાનું પણ જણાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે રબારી સમાજના અગ્રણીઓ સોહનભાઈ રગીયા, મોતીભાઈ કરોતરા, રાયમલભાઈ રબારી, ભરતભાઇ રબારી, હીરાભાઈ ખાંભલા, ધારાભાઈ ટમાંરિયા સહિતના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દેવેનભાઈની વરણીને ઉમળકાભેર વધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!