મોરબીમાં અપમૃત્યુનો એક કેસ સામે આવ્યો છે જેમાં મોરબીના પુનિત નગર દર્શન બંગલોઝ ખાતે રહેતા પાર્થભાઈ વસંતભાઈ અમૃતિયા નામના 23 વર્ષીય યુવાન કેટલાય વર્ષથી આંચકીની બીમારી ભોગવતો હતો 2013થી આંચકીની બિમારી લાગુ પડ્યા બાદ જુદા જુદા ડોકટરોની સારવાર લેવા છતા કોઈ ફરક પડતો ન હોવાથી યુવાને આંચકીની બિમારીએથી કંટાળી જઈ ખાનપર ગામે આવેલ પોતાના પડતર મકાને ઓસરીમા દોરડુ બાંધી જાતેથી ગળેફાસો ખાઈ આત્મઘાત કરી મોત વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.