Friday, October 18, 2024
HomeGujaratમોરબીનાં માધાપર-જડેશ્વર રોડ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને હડફેટે લેતા મોત

મોરબીનાં માધાપર-જડેશ્વર રોડ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને હડફેટે લેતા મોત

મોરબીમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનની ઘટના મોરબીનાં માધાપર-જડેશ્વર રોડ પરથી સામે આવ્યો છે. જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને હડફેટે લેતા રાહદારીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યુ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૨૮/૧૧/૨૦૨૨ના રોજ કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન મોરબી સ્ટેશન રોડ તરફથી માધાપરમા જવાના રોડ ઉપર પુરઝડપે ચલાવીને મોરબીના ભગવતીપરા-૧ વાવડીરોડ પર રહેતા બળવંતભાઇ ટપુભાઇ રાઠોડના ભાઈ હસમુખભાઇ ચાલીને જતા હોય તેની સાથે ભવ્ય ઇલેક્ટ્રોનીકની દુકાન સામે રોડ ઉપર પાછળથી અથડાવી પછાડીદઇ શરીરના ભાગે છોલછાલ ઇજા તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી જેના કારણે તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જયારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!