Thursday, September 19, 2024
HomeGujaratમેન્ટેનન્સ કરવાના હેતુસર મોરબીનાં અનેક વિસ્તારોમાં આગામી ૨૧ જાન્યુઆરીએ વીજકાપ મુકાયો

મેન્ટેનન્સ કરવાના હેતુસર મોરબીનાં અનેક વિસ્તારોમાં આગામી ૨૧ જાન્યુઆરીએ વીજકાપ મુકાયો

મોરબીમાં આગામી ૨૧ જાન્યુઆરીએ ફરી વીજકાપ મુકવામાં આવ્યો છે. જેને કારણે વાવડી રોડ ફીડરના નીચેના વિસ્તારોમાં વસતા લોકોને 8 કલાક વીજપુરવઠો નહિ મળે.

- Advertisement -
- Advertisement -

PGVCLનાં જણાવ્યા અનુસાર, મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ વાવડી રોડ ફીડરના નીચેના વિસ્તારોમાં સવારે ૭.૩૦ વાગ્યાથી સાંજે ૦૩.૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુસર બંધ રાખવામાં આવશે. જેને લઇ વાવડી રોડ રાધાપાર્ક, શ્યામ પેલેસ, પ્રભૂનગર, પટેલની વાડી, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રી નગર ૧ થી ૪, જીવન જ્યોત સોસાયટી, રેવા પાર્ક, મારુતિ સોસાયટી, શ્રદ્ધા પાર્ક, ગાયત્રી પાર્ક, વિષ્ણુ નગર, હર્ષ વાટિકા, અક્ષરધામ પાર્ક, કુબેર નગર ૧ થી ૪, અશોક પાર્ક, રોયલ પાર્ક તથા આસપાસનાં વિસ્તારોને નોંધ લેવા જણાવવામાં આવ્યું હતું. તેમજ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ પણ PGVCL દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!