Thursday, September 19, 2024
HomeGujaratવાંકાનેરમાં સગીરાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું

વાંકાનેરમાં સગીરાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું

વાંકાનેરનાં ચીત્રાખડા ગામે વાડીમાં રહેતી ૧૪ વર્ષિય સગીરાનું ગઈકાલે અગમ્ય કારણોસર ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ચીત્રાખડા ગામે વાડીમાં રહેતી ૧૪ વર્ષિય સગીરાએ ચિત્રાખડા ગામે રહેણાંક સ્થળ વાડીએ હોય અને ઢોર માટે રજકો વાઢવા બજુમાં વાડી પડામાં ગયેલ તે વખતે કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે ઘાસમાં છાંટવાની ઝેરી દવા અજાણી માત્રામાં પીનેબાદ વાડી વાળા રહેણાંક સ્થળે આવતા ઉલ્ટીઓ થતા સગીરાને તાત્કાલીક તેના પરિવારજનો દ્વારા સારવાર સારૂ ઇકો ગાડી મારફતે મોરબી મંગલમ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામા આવી હતી. જ્યાં તેનું  સારવાર દરમ્યાન ગત તા.૨૮/૦૪/૨૦૨૩ ના સારવાર દરમિયાન મોત નિપજતાં ફરજ પરનાં ડોકટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!