Friday, October 18, 2024
HomeGujaratમોરબીથી ગાંધીનગર હોસ્પિટલ જવાનું કહી ગુમ થયેલ પિતા-પુત્ર ધાંગધ્રાથી હેમખેમ મળી આવ્યા

મોરબીથી ગાંધીનગર હોસ્પિટલ જવાનું કહી ગુમ થયેલ પિતા-પુત્ર ધાંગધ્રાથી હેમખેમ મળી આવ્યા

મોરબીમાં બે લોકો ગુમ થયા અંગેની પોલીસ મથકમાં નોંધ થઈ હતી. જેમાં એક યુવકને બિમારી હોય જેની દવા લેવા માટે ગાંધીનગર સરકારી હોસ્પિટલ ખાતે જવાનુ કહી પિતા-પુત્ર ગયેલ હોય જે છ દિવસ થયા છતાં પરત ન ફરતા પરિવારજનો દ્વારા ગુમ થયા અંગેની પોલીસ મથકે નોંધ કરાવવામાં આવી હતી.જે પિતા પુત્ર સગાના ઘરેથી હેમખેમ મળી આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની ચિત્રકુટ સોસાયટી શેરી નં.૧ ઘુનડા રોડ ખાતે રહેતા હિતેશભાઇ કિશોરચંદ્ર ત્રિવેદી તથા ચિરાગભાઇ હિતેશભાઇ ત્રિવેદીને બિમારી હોય જેની દવા લેવા માટે ગાંધીનગર સરકારી હોસ્પિટલ ખાતે જવાનુ કહીને નિકળીયા બાદ ઘરે પરત ન આવતા મિતેનભાઇ હિતેશભાઇ ત્રિવેદી દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની નોંધ કરવામાં આવી હતી.જે દરમિયાન આજે બન્ને પિતા પુત્રો ધાંગધ્રા ખાતે પોતાના સગાના ઘરે થી હેમ ખેમ મળી આવ્યા હતા.જેથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!